-->

Join WhatsApp

મા તે મા


आस्तां तावदियं प्रसूति समये दुर्वार शूलव्यथा
नैरुच्यं तनुशोषणं मलमयी शय्या च सांवत्सरी ।
एकस्यापि न गर्भभारभरण क्लेशस्य यस्या क्षमा:
यातुं निष्कृति मुन्नतोऽपि तनय: स्तस्यै जनन्यै नम:


દુનિયાની દરેક ભાષામાં માં ( માતા)  વિશે અઢળક પુસ્તકો લખાયા છે 
કાવ્ય સંગ્રહ, નિબંધો, વિવેચન, નાટકો, નવલિકા, નવલકથા, પુરાણો વગેરે મા મા વિશે લખાણ છે 

મને આ વિષય પર વાંચન ની ખૂબ જિજ્ઞાસા વૃત્તિ રહેતી 
પણ એક માડી મને સાંભરે રે એક પુસ્તક વાંચ્યું 
પછી આ વિષય પર વધુ વાંચન માટે પુસ્તકો ની શોધ શરૂ થઈ 
સંજોગ સત્વ એવુ થયુ કે દસ દિવસ ઉત્તરાખંડ જવાનુ થયુ એટલે વાંચન થી દુર રહ્યો 
પણ જેવો ઘરે આવ્યો તુરંત મારા પિતા તરફથી 
મારા વાંચન ભાતુ ની મને ગમતા વિષયો ની બે બુકો 
આપવામાં આવી 
આનંદનો અતિરેક થયો 
અને આજે વિશ્વ પુસ્તક દિવસ પણ ખરો  !

જગત સાહિત્ય ની દષ્ટિએ માતા વિશે 

 ઈશ્વરે પ્રેમનું સર્જન કર્યું હશે ત્યારે સૌથી પ્રથમ માતા બનાવવાનું વિચાર્યું હશે ! અનન્વય અલંકારમાં કહીએ તો…  વાત્સલ્યની મૂર્તિ એટલે મા, મા એટલે વાત્સલ્યની મૂર્તિ .  એના જેવી વ્યકિત આ જગતમાં કયાંય મળે એમ નથી ! માતાનો જોટો જડવો. બાળકને જન્મ આપનાર અને એનું લાલનપાલન કરી જીવનનું સુયોગ્ય ઘડતર કરનાર માતાની મૂલ્યવાન સેવાનો બદલો કોનાથી વાળી શકાય એમ છે ? બાળક ઉદરમાં હોય ત્યારથી માંડીને એ મોટું ને સમજણું થાય ત્યાં સુધીમાં, અનેક કષ્ટો વેઠનાર અને પોતાના શરીર-સુખના ભોગે પોતાના બાળકની માવજત કરનાર માતાને જો ઈશ્વરે પેદા  જ ના કરી હોય તો આપણું શું થાત ? કોણે લાલન પાલન કર્યુ હોત, કોણે આપણને સંસ્કાર આપ્યા હોત. કોણે આટલો પ્રેમ લૂટાવ્યો હોત.. માતાનુ મહત્વ તો તમે એકવાર જઈને અનાથાશ્રમમાં રહેતા બાળકોને જોઈને કે તેમની સાથે વાતચીત કરીને જોશો તો સમજાશે.  મુશકેલ છે. ખુદ ઈશ્વર પણ એની જોડે બેસી શકે તેવો નથી ! સાચે જ, જગતમાં સૌ સગા સ્નેહીજનો વચ્ચે માતાની ત્યાગનીમૂર્તિ, બલિદાનનીમૂર્તિ,સૌજન્યનીમૂર્તિ અને પ્રેમ/ત્યાગનીમૂર્તિ પૂનમના ચાંદ જેવી ઝળહળે છે. ?    જગતમાં સર્વપ્રથમ અને બાળકના મુખમાંથી નિકળતો પ્રથમ જો શબ્દ હોય તો તે ‘મા’ ‘મમ્મા’છે.

કવિઓએ માતૃપ્રેમનો મહિમા મુકતકંઠે ગાયો અને બિરદાવ્યો છે. કવિ બોટાદકરે  પોતાની કવિતામાં કહ્યું છે કે,  “જનનીની જોડ સખી નહિ જડે રે લોલ !   માતા એ માતા જ છે. પચેહે એ આઠ બાળકોની માતા હોય કે એકના એક સંતાનની ! માતાને મન એનુ પ્રત્યેક બાળક કાળજાનો કટકો છે. માતા ગરીબ ઘરની હોય કે શ્રીમંત ઘરની.. એના વાત્ય્સલયનુ ઝરણું તો અખૂટપણે વહ્યા જ કરે છે.  વળી બાળક હ્રષ્ટપુષ્ટ અને દેખાવડુ જ હોય એ કાઈ જરૂરી નથી. માતાને મન તો એનુ લુલુ લંગડુ કે બહેરુ બોબડુ બાળક અપ્જ ગુલાબના ખીલેલા ગોટા જેવુ જ હોય છે. માતાને ઘડીને ઈશ્વરે હાથ ધોઈ નાખ્યા છે એમ કહીએ તો જરાય ખોટુ નથી. 
 
બાળક માંદુ પડે. નિશાળેથી આવતા થોડુ મોડુ થાય કે કોઈ ચીજ મેળવવા માટે ધમપછાડા કરે ત્યારે માતા લાખ કામ પડતા મુકીને કેવી બેબાકળી અને ચિંતાતુર બની જતી હોય છે ! બાળકના સુખે સુખી અને બાળકના દુખે દુ:ખી  થનારી, રાત દિવસ તેના હિતની પ્રાર્થના કરનારી માતા જેવી ત્યાગમૂર્તિ જગતમાં બીજી કોઈ છે ખરી ? જીવન નૈયાનુ સુકાન માતા છે. મા વિનાના બાલકોની સ્થિતિ અત્યંત દયાજનક અને અશ્ય હોય છે. રેટિયો કાતતી મા ઘોડે ચડતા બાપ કરતા હજાર દરજ્જે સારી છે.  જીવનનુ સબરસ મા છે. એનો ત્યાગ એનુ વાત્સલ્ય  એનુ માઘુર્ય એ તો સંતાનના જીવનની અણમોલ અદ્વિતીય મુડી છે.

આખા જગતનો આધાર માતાની આગળી છે .એની આંગળીમાં અભય છે. સામે વાઘ આવીને ઊભો હોય પણ દીકરાએ જો માની આંગળી ઝાલી હશે તો  એને બીક નહી લાગે ! એની આંગળી નિર્ભય છે. ‘મા’ શબ્દ જ મમતાથી ભરેલો છે. પશુ હોય કે પક્ષી હોય માતાનો પ્રેમ એના પોતાનાં બચ્ચાં માટે અપાર હશે, ગાય પોતાના વાછરડાંને, કૂતરી પોતાનાં ગલૂડિયાંને. ચકલી પોતાનાં બચ્ચાંને,વાદરી પોતાનાં બચ્ચાને પ્રેમસ્નેહ કરતાં થાકતી નથી. કેવાં સાચવે છે,ચાટે છે અને ખવડાવે છે. અબોલા પ્રાણીમાં જો આટલી માયા ને લાગણી હોય તો માનવ-માતાની તો વાતા જ શી કરવી ?
 
                    
જગતમાં દરેક મહાન પુરુષોના જીવન ઘડતરમાં તેમની માતાનો ફાળો અનન્ય અને અનમોલ રહ્યો છે. તે બાળકની પ્રેરણાદાત્રીની છે. નેપોલિયન જેવાને કહેવું પડેલું કે, “ એકમાતા એ સૌ શિક્ષકની ગરજ સારે છે.” માતા સંતાનના ચારિત્ર્યનું ઘડતર કરે છે,તે થકી  સમાજનું અને રાષ્ટ્રનું ઘડતર થાય છે. આ “મા ”બનવુ  પણ સહેલુ નથી  કારણકે નવ માસના ગર્ભધાન  પછી આકરી પ્રસૂતિની પીડા અને  શિશુપાલનની અઢળક  જવાબદારી એ અનેક  બલિદાન માંગી લે છે. અને આ બધુ એક  સંપૂર્ણ નિસ્વાર્થ ભાવનાથી  માત્ર પોતાના  દેવના દીધેલા માટે.....!!આટલુ જતન કરીને વખત આવે તો પેટે પાટા બાંધીને પુત્રનુ જતન કરનાર માતાને ઘડપણમાં જો પુત્ર તરફથી પ્રેમને બદલે તિરસ્કાર, સહારાને બદલે અપમાન મળે અને મદદને બદલે કુવચનો સાંભળવા મળે તો એ પુત્રને પુત્ર કહેવો કે પત્થર ? આટલુ થવા છતા માતા કાયમ પોતાના દીકરાને આશીર્વાદ જ આપતી રહે છે. તેથી જ તો કહેવાય છે કે "છોરું કછોરું થાય પણ માતા કુમાતા ન થાય.


#બે_બહાદુર_મિત્રો

તમે વડોદરા ગયા હશો અને કમાટીબાગમાં તો જોયો જ હશે ને ? આ બાગના મુખ્ય પ્રવેશદ્વાર પાસે પ્રવેશતાં ડાબી તરફ બે પૂતળાં જોવા મળશે. આ પૂતળાં બે યુવાન છોકરાઓનાં છે. તે જોઈ કદાચ તમને સવાલ થાય કે આ પૂતળા હશે કોનાં ? એ છોકરાઓ કઈ રાજકુમાર જેવા લાગતા નથી. બંનેના માથે ફાળિયાં બાંધેલ છે. એકના હાથમાં નાનકડી છરી જેવું હથિયાર છે અને બીજાના હાથમાં નાની લાકડી છે.

    આ પૂતળાં હરિ અને અરજણ નામના બે યુવાન છોકરાનાં છે તે સુખપુર ગામ ધારી તાલુકો (અમરેલી) વતની હતા. તે જોઈએ તો એમ થાય કે ક્યાં વડોદરાને ક્યાં અમરેલીનું સુખપુર. એમનાં પૂતળાં કમાટીબાગમાં કેમ ? આની પાછળ એક બહાદુરીભરી કથા છે. આજથી લગભગ ઘણા સમય પહેલાની આ વાત છે.

    તે સમયે વડોદરામાં મહારાજા સયાજીરાવ રાજાનું રજવાડું હતું. તેઓ એક વાર કાંગસા ગામ પાસેના જંગલમાં સિંહના શિકાર માટે ગયા હતા. શિયાળાની શરૂઆત હતી એટલે દિવસ જલદી આથમી જતો હોય છે.

    કાંગસા ગામ નજીક એક વોકળો હતો (વોકળો એટલે નાનું નદી જેવું ઝરણું). આ વોકળા પર સાંજના સમયમાં જંગલમાંથી પ્રાણીઓ પાણી પીવા આવતાં. કાંગસા ગામની પશ્ચિમે ગીરનું જંગલ આવેલું હતું. શિકારી લોકો વોકળા પાસે માંચડો બાંધી પ્રાણીઓનો શિકાર કરતા. માહારાજાએ માંચડો બંધાવ્યો. મહારાજા માંચડા પર તેમના મદદનીશો સાથે ગોઠવાયા. બાજુમાં સુખપુર નામનું એક ગામ હતું. હરિ અને અરજણ નામના બે જુવાનિયા શિકારના શોખીન હતા. 

મહારાજા કેવી રીતે શિકાર કરે છે તે જોવા તેઓ આવ્યા હતા. બંને મિત્રો દૂર દૂર ઝાડની પાછળ સંતાઈને ઊભા હતા. તેમની પાસે છરી જેવું નાનકડું હથિયાર હતું. સૂરજ આથમી ગયો. ધીરે ધીરે અંધારું થવા લાગ્યું. એટલામાં વોકળા પર એક સિંહ પાણી પીવા આવ્યો. મહારાજે નિશાન લઈ ગોળી છોડી,પરંતુ ગોળીએ ધાર્યું નિશાન ન પડ્યુંગોળી ખાલી ગઈ અને બંદૂકના અવાજથી સિંહ ગુસ્સે થઈ ગયો. તેની નજર માંચડા પર પડી. માંચડા પર શિકારીઓ ને જોતાં તે વીફર્યો. છલાંગ લગાવી માંચડા નજીક પહોંચી ગયો. માંચડાને ભોંયભેગો કરવા તે એને ઝંઝેડવા લાગ્યો. માંચડા પર રહેલા સૌના જીવ તાળવે ચોંટી ગયા. મહારાજામાં પણ ફરી ગોળી છોડવાની સૂધબૂધ ન રહી.

    આ કટોકટીની પળે ઝાડ પાછળ સંતાયેલા હરિ અને અરજણ નામના જુવાનિયાં વહારે આવ્યા. તેઓ જીવના જોખમે પણ બહાર ખુલ્લામાં નીકળ્યા. અવાજ કરી સિંહનું ધ્યાન એમના તરફ ખેંચવા પ્રયત્ન કરવા લાગ્યા. થોડે દૂર સાક્ષાત મોત જેવો સિંહ એમના તરફ ફર્યો તે ખિજાયેલો તો હતો જમાંચડો હલતો બંધ થયો, મહારાજા હવે શાંત થયા. સિંહની નજર હવે પેલા બે જુવાનિયા તરફ હતી. સિંહ તે તરફ છલાંગ મારવાની તૈયારીમાં જ હતો ને ત્યાં મહારાજાએ ગોળી છોડી. આ વખતે ગોળી નિશાન ન ચૂકી. તે સિંહને વાગી, સિંહ મૃત્ય પામ્યો. આ બધું ખૂબ ઝડપથી બની ગયું. મહારાજા માંચડા પરથી નીચે ઊતર્યા. જો હરિ અને અરજણ હિંમત કરી મદદે ન આવ્યા હોત તો મહારાજા ન બચ્યા હોત.

મહારાજા તે બંને જુવાનિયા પર ખૂબ ખુશ થયા. તેમને હૃદયપૂર્વક ધન્યવાદ આપ્યા. મહારાજા તો ઊંચા ગજાના માણસ હતા. જાનના જોખમે મદદ કરનાર બંને મિત્રોની એમણે કદર કરી. તેમને વડોદરા બોલાવી બહુમાન આપ્યું. તેમની કાયમી યાદગીરી રહે તે માટે કમાટીબાગમાં એ બંનેના પૂતળાં ઊભાં કર્યા. તમે હવે વડોદરા જાઓ તો કમાટીબાગની અવશ્ય મુલાકાત લેજો.

શ્રી કેદારનાથ ધામનો ઇતિહાસ....

હિમાલયે તું કેદારમ્‌.....
🙏🏼🕉️🙏🏼
સ્કંદપુરાણ અનુસાર ભગવાન શિવજી પાર્વતીજીને કહે છે, ‘આ કેદારનાથ સ્થાન એટલું જ પ્રાચીન છે જેટલો કે હું છું, મારા વડે જ આ સ્થાન પર સૃષ્ટિ રચના માટે બ્રહ્માનાં રૂપમાં બ્રહ્મત્વ પ્રાપ્ત કરી સૃષ્ટિ નિર્માણનો શુભારંભ થયો હતો અને ત્યારથી જ આ કેદારખંડ મારું ચિર નિવાસ એવમ્‌ ભૂ-સ્વર્ગસમાન બની રહ્યું છે.’
સંપૂર્ણ હિમાલય પાંચ ખંડમાં વિભક્ત છે, જેમાં કેદારખંડની મહિમા સહુથી અધિક છે. કવિ કાલિદાસે પણ ‘અસ્ત્યુત્તરસ્યાં દિશિ દેવતાત્મા’ કહી આ ઉત્તર દિશાને જ દેવતાનું નામ દીધું છે – મહાભારતમાં પણ આ સમગ્ર ખંડમાં મંદાકિની, અલકનંદા એવમ્‌ સરસ્વતી નદીઓનો ઉલ્લેખ મળે છે જે અહીંથી જ વહેતી અને પ્રયાગ રચતી હતી તેમ જણાવાયું છે..
‘કેદાર’નો સાદો અર્થ કળણ થાય છે. આ દળ-દળ ભૂમિનો અધિપતિ શિવજી છે અને તેથી જ ‘દળ-દળનાં અધિપતિ’ પરથી આ સ્થાન ‘કેદારનાથ’ કહેવાય છે. અહીં સત્યયુગમાં એક કેદાર નામે તપસ્વી રાજાની પણ લોકશ્રુતિ છે..
કેદાર ખંડનું માહાત્મ્ય રસપ્રદ છે. દ્વાપરયુગમાં મહાભારતનાં યુદ્ધ બાદ પાંડવો પ્રાયશ્ચિત ભાવ સાથે ગ્લાનિસભર દુઃખી બની વિચરતા હતા.
વેદ વ્યાસજીનાં પરામર્શ બાદ પાંડવો યુદ્ધ દરમ્યાન થયેલી ગોત્ર-હત્યાનાં નિવારણ માટે ભગવાન શંકરનાં દર્શનાર્થે અહીં ઉત્તરાખંડ આવી પહોંચ્યા, જેથી પોતાની આ હત્યાનાં પાપમાંથી મુક્તિ પામી શકે. પરંતુ શિવજી પાંડવોને દર્શન આપવા માટે ઉત્સુક ન હતાં, તેથી તેઓ ગુપ્ત-કાશી નિવાસ કરવા લાગ્યાં – જ્યારે પાંડવોને જાણ થઈ તો તેઓ પણ ગુપ્ત કાશી પહોંચ્યા, તો શિવજી કોઈ ગુપ્ત સ્થળેથી અહીંથી કેદારનાથ પહોંચી ગયા, પાંડવો પણ તેમનો પીછો કરતાં અહીં સુધી આવી પહોંચ્યા.
શિવજીને લાગ્યું કે હવે આ કળણ ભૂમિમાં વધુ સમય ગુપ્ત નહીં રહી શકાય, તેથી તેઓ ‘‘મહિષ’’ પાડાનું રૂપ ધારણ કરી વિચરવા લાગ્યા. એક દિવસ આ મહિષને જોઈ ભીમ તુરત જ પામી ગયા કે… શિવજી મહિષનાં રૂપે ચરી રહ્યાં છે.
તેઓએ તુરત જ તેનો પીછો કર્યો. મહિષ આ દરમ્યાન ભારી કાયનાં કારણે દોડાદોડીમાં કળણમાં ફસાઈને ગરક થવા લાગ્યા. મહાકાય ભીમે તુરત જ આ ભૂમિમાં ગરક થતાં સાક્ષાત મહિષ સ્વરૂપ શિવજીની પૂંછ પકડી લીધી.
પરંતુ તે દરમ્યાન તો તેઓ લગભગ ખૂંપી ગયા હતા અને તેઓની વિશાળકાય – પીઠ જ ભૂમિ ઉપર રહી ગઈ હતી. ભીમે અહીં અત્યંત ભાવપૂર્વક આપ્રસ્વરે શિવજીની સ્તુતિ કરી ભૂમિગત નહીં થવા પ્રાર્થના કરવા લાગી તો ભોળા શિવજી રીઝીને પ્રસન્ન થયા, અને પાંડવોનાં કારણે સ્વયં આ પીઠ-સ્વરૂપે ત્યાં જ સ્થાઈ થઈ ગયા.
ત્યારે નિરભ્ર આકાશેથી આકાશવાણી થઈ કે, ‘‘પાંડવો મારા આ જ રૂપની પૂજા કરવાથી તમારાં દુઃખ દર્દ એવમ્‌ મનોરથ પૂર્ણ થશે.’’ ત્યારબાદ સર્વ પાંડવોએ શિવજીનાં મહિષ પૃષ્ઠભાગની પૂજા કરી અને ગોત્ર-હત્યાથી મુક્તિ પામ્યા.
ત્યારબાદ તેઓએ સ્વયં અહીં એક ભવ્ય મંદિરનું નિર્માણ કરી શિવજીને સ્થાપ્યાં, જે જ્યોતિર્લિંગ તરીકે પૂજાયા…
આ જ્યોતિર્લિંગની અન્ય એક કથા એવી પણ છે કે હિમાલયના કેદાર શ્રુંગ પર ભગવાન વિષ્ણુના અવતાર મહાતપસ્વી નર અને નારાયણ ઋષિ તપસ્યા કરતા હતા. એમની તપસ્યાથી પ્રસન્ન થઇ ભગવાન શંકર પ્રગટ થયા અને એમની પ્રાથના અનુસાર જ્યોતિર્લિંગના રૂપમાં સદાય અહીં વાસ કરવાનું વરદાન આપ્યું.
કાળક્રમે આધગુરૂ શંકરાચાર્યજીએ અહીં પૂજા-અર્ચના એવમ્‌ અન્ય વ્યવસ્થાઓનું નિર્માણ કરી ઉત્તરાખંડનાં આ અતિ ભવ્ય મંદિરનું પુનઃ નિર્માણ-સ્થાપન કરી આ કેદારનાથને મહત્વનું સ્થાન ગણાવી તેને પ્રસિદ્ધ કર્યું.
આ મંદિરની વિશેષ વાસ્તુ શિલ્પ શૈલી એવમ્‌ તેનું ઉન્નત સ્થાન તેનાં માહાત્મ્યમાં વૃદ્ધિ કરનાર છે.
આ ભવ્ય મંદિર લગભગ ૮૦ ફુટ ઉંચુ છે. સ્થાનીય ભૂખરા વિશાળ પથ્થરોને કોતરીને આ મંદિર ભવન નિર્માણ પામ્યું છે, જેથી તે અતિ પ્રાચીન, ભવ્ય અને કોઈ તપસ્વીસમુ ભાસે છે. મંદિરનાં આગળનાં ભાગ પર ગ્રીક શૈલી જેવો ધાતુનો ત્રિકોણ ધ્યાન ખેંચે છે, મંદિરનું સ્વરૂપ ચતુષ્કોણાત્મક છે. પથ્થરોનાં સ્તંભો પર કાષ્ઠનાં માળખા પર તાંબાની ધાતુ સજાવી છે, એવમ્‌ શિખર પર સહુથી ઉન્નત તાંબાનો કળશ છે જે સુવર્ણ મંડિત છે. મંદિરનાં ગર્ભગૃહમાં ભગવાન શિવજી સ્વયં ભૂ-જ્યોતિલિંગ રૂપે બૃહદશિલાનાં રૂપમાં મહિષનાં પૃષ્ઠ ભાગનાં આકારે બિરાજમાન છે. ગર્ભગૃહનાં બાહરી ભાગને જગમોહન કહે છે જેમાં પાર્વતીજીની પથ્થરની સુંદર મૂર્તિ છે. અહીંથી બહારનાં ભાગને સભામંડપ કહે છે જેના પાષાણ સ્થંભ પર પાંચ પાંડવો એવમ્‌ શ્રીકૃષ્ણ તથા માતા કુતીંની પાષાણની પૂર્ણ પ્રતિમાઓ કંડારાયેલી છે. અને મંદિર બહાર વિશાળ કાય પાષણનો નન્દી છે.
તેના બાંધકામમાં ઇંટો નહી પરંતુ મોટા પત્થરોનો ઉપયોગ કરાયો છે. આ પત્થરોને આકાર આપીને તેઓ એકબીજા સાથે “ઇન્ટરલોક”થી જોડાયેલા રહે તે પ્રમાણે બાંધકામ થયું છે. પરિણામે પ્રચંડ પુર છતાં આ પત્થરો એકબીજાની સાથે ઇન્ટરલોકથી જોડાયેલા હોવાને કારણે જ ટકી શક્યા છે. એમ પણ કહેવાય છે કે પુરના પાણી આવ્યા તે પહેલા મંદિરના પાછળના ભાગમાં એક મોટો પત્થર ધસી આવ્યો હતો જેને મંદિરની આડશ તરીકે કામ કર્યું અને પુરના પાણી આ પત્થરને અથડાઇને વહી ગયુ હતુ. મંદિરની આસપાસ એટલે કે જે પ્લેટફોર્મ પર મંદિર છે તેની નજીકમાં જે નવા બાંધકામો અત્યાર સુધીમાં થયા હતા તે નામશેષ થઇ ગયા હતા.
આ કેદારનાથ મંદિરમાં શિવજીની સર્વ પૂજાઓ યાત્રીઓ જ્યોતિલિંગ પાસે બેસીને કરી શકે તેવી વ્યવસ્થા છે. અહીં સંપૂર્ણ રાત્રિ દરમ્યાન પૂજા-અર્ચના થતી રહે છે જેમાં યાત્રીઓએ મંદિર-કમિટિની ઓફિસમાં નામ નોંધાવી પોતાની પૂજાનો સમય અગાઉથી આરક્ષિત કરવાનો રહે છે.
અહીં શિવજીનાં લિંગ પર ઘી ચોપડવાનું માહાત્મ્ય છે, તેમજ તેને સ્પર્શીને બાથ ભીડી શકાય છે.
કેદારનાથના સંપૂર્ણ વાતાવરણનો અનુભવ તેમજ અહીં થતાં શ્લોકોચ્ચાર ધ્વનિ, ઘંટનાદ તેમજ મંદિરની પશ્ચાદભૂનો સુમેસ પર્વતી ઘણો દિવ્ય દ્રશ્યમાન થાય છે. આ એ જ પર્વતીય માર્ગ છે જે માર્ગે પાંચેય પાંડવોએ હિમાલે જવા પ્રયાણ કર્યું હતું, તેવો વિચાર આવતાં જ યાત્રીઓ શ્રધ્ધા સભવ ભાવુક બની નતમસ્તક બની જાય છે.
મંદિરની પાછળ આદિગુરૂ શંકરાચાર્યજીનું સમાધિ સ્થળ છે. કહેવાય છે કે ભારત વર્ષના ચાર ધામ સ્થાપીને એક અવતાર કાર્ય પૂર્ણ કર્યા બાદ આદિગુરૂ શંકરાચાર્ય માત્ર ૩૨ વર્ષની યુવા વયે અહીં પધારીને સમાધિસ્થ થયા હતા.
કેદારનાથ મંદિરથી લગભગ દોઢ કિ.મી.નાં અંતરે એક પ્રાકૃતિક તળાવ છે જેને ચોરાબારી તાલ કહે છે, આ તળાવ હવે તો જોકે ગાંધી સરોવરથી વધુ જાણીતું છે, કારણ ગાંધીજીનાં અસ્થિપુલને આ તળાવમાં પધરાવવામાં આવ્યા હતાં. અહીંથી ૧૨ કિ.મી. દૂર નંદાકિની નદીનું ઉદ્‌ગમ્‌ સ્થળ છે.
કેદારનાથ મંદિરથી અડધા કિ.મી.ના અંતરે ભૈરવમંદિર છે, આ મંદિરનું વિશેષ મહત્વ એટલે કે અખાત્રીજનાં શુભ દિવસે કેદારનાથનાં દ્વાર ખુલતાં જ અહીં વિશેષ પૂજા-અર્ચના થાય છે.
કહેવાય છે કે આ દિવસથી ભાઈબીજ સુધીનાં પૂર્ણ સમય દરમ્યાન કેદારનાથ ક્ષેત્રની રક્ષા સ્વયં આ ભૈરવનાથ કરે છે.
ૠષિકેશથી કેદારનાથ કુલ ૨૨૮ કિ.મી. દૂર છે, ૠષિકેશથી ગૌરીકુંડ ૨૧૪ કિ.મી. સુધી મોટર માર્ગ છે, ત્યારબાદ ગૌરીકુંડથી કેદારનાથ ૧૪ કિ.મી.ની પૈદલ યાત્રા છે. અહીં ડોલી-ખચ્ચર-પીઠ્ઠુ મળી રહે છે તેથી યાત્રીઓની સુવિધાનુસાર યાત્રા થઈ શકે છે. ૠષિકેશથી દેવપ્રયાગ શ્રીનગર, રૂદ્રપ્રયાણ એવમ્‌ ગુપ્તકાશીનાં રસ્તે ગૌરીકુંડ સુધી મોટરમાર્ગ અત્યંત રમણીય અને નયનરમ્ય હિમાલય દર્શનથી સભર છે.
ગૌરીકુંડ પર રાત્રિ નિવાસ માટે હોટલ્સ તેમજ ધર્મશાળા ઉપલબ્ધ છે. માર્ગમાં ગુપ્તકાશી સ્થળ પણ અત્યંત પ્રાકૃતિક સૌંદર્યથી સભર છે. કેદારનાથ સુધી પધાર્યા પહેલા કહે છે શિવજી અહીં થોડો સમય રોકાયા હતાં.
આ નગરમાં વારાણસીની જેમ જ પૌરાણિક વિશ્વનાથ મંદિર તેમજ મણિકર્ણિક કુંડ છે. કહે છે અહીં ગંગા-યમુનાનો પ્રયાગ છે. અહીં નજીકમાં ઉખીમઠ છે જ્યાં અર્ધનારેશ્વર અને વિશ્વનાથનાં મંદિર ઉપરાંત સ્તુપ છે.
આ એજ ઉખીમઠ છે જ્યાં કેદારનાથનાં દ્વાર બંધ થયા બાદ શિવજીની પૂજા-અર્ચના થાય છે – ગુપ્તકાશી નગરમાં રહેવાની સગવડો પ્રાપ્ત છે, અહીં ચારધામ કેમ્પનાં આધુનિક ટેન્ટમાં રહેવાનો રોમાંચ માણવો હોય તો યાત્રાળુઓ અહીં રોકાઈ શકે છે. ગુપ્તકાશીથી ગૌરીકુંડ માંડ ૪૦ કિ.મી. દૂર છે.
‘‘પંચ કેદારાય નમઃ’’
ઉત્તરાખંડની યાત્રામાં પંચ-પ્રયાગ તેમજ પંચ-બદરીની માફક પંચ-કેદારનું મહત્વ અધિક છે.
આ પંચકેદાર ક્ષેત્રમાં અલકનંદાની પશ્ચિમનો સમગ્ર ખંડ સમાવિષ્ટ છે. હિમાલયનાં બરફથી આચ્છાદિત ઉત્તુગ શિખરોની મધ્યે આ ભૂખંડ આવેલો છે. વિભિન્ન પાંચ પૌરાણિક મંદિરોમાં ભગવાન શંકરનાં પાંચ અંગોની પૂજા-અર્ચના થાય છે.
આ સમગ્ર પ્રદેશ અત્યંત રોમાંચક, શાંત, આધ્યાત્મિક તેમજ યાત્રાળુઓની સાથોસાથ સહેલાણીઓને પણ આકર્ષિત કરે તેવો નયનરમ્ય છે. પાંચેય કેદારનાં પ્રત્યેક સ્થાન પ્રાકૃતિક સંપદાથી સભર છે.
આ પાંચ કેદાર અનુક્રમે શ્રી કેદારનાથ, તુંગનાથ, મધ્યમહેશ્વર, રૂદ્રનાથ તેમજ કલ્પેશ્વર તરીકે પુરાણ પ્રસિદ્ધ છે, આ સમગ્ર પંચકેદારનો થોક કેદારખંડનાં સ્કન્ધ પુરાણમાં છે.
કેદાર મધ્યમ તુંગ રૂદ્ર કલ્પેશ્વર પ્રિયતમ્‌ |
પંચકેદારકઃ નિત્ય સ્મરેત્પાતક નાશનમ્‌ ||
જાણે ‘‘દ્વાદશ જ્યોર્તિલિંગ’’ શ્લોકનો જ અહીં ભાવ છે. પંચકેદારને જો પ્રાતઃ સ્મરણ કરવામાં આવે તો મનુષ્યનાં તમામ કષ્ટનો નાશ થાય છે.
પ્રથમ કેદાર કલ્પેશ્વરને માનવામાં આવે છે કારણ અહીં કલ્પેશ્વરમાં ભગવાન શંકરની જટાની પૂજા થાય છે.
જટામૌલિનાં રૂપમાં રૂદ્રનાથમાં ભગવાન શંકરનાં મુખારવિંદની પૂજા થાય છે. તુંગનાથમાં બે મહાબાહૂની, તથા મધ્ય-મહેશ્વરમાં મધ્ય નાભિ પ્રદેશની તેમજ કેદારનાથમાં ભગવાનનાં પૃષ્ઠ પ્રદેશની પૂજા-અર્ચના થાય છે.
શ્રી કેદારનાથ પંચકેદારમાં પ્રાધ્યાન્ય સ્થાને છે.
જય હો કેદારનાથ ભગવાન કી ….